મોસમ વિશે આ પણ જાણો

* હવામાન માટે મોસમ શબ્દ આરબ વહાણવટીઓએ પ્રચલિત કરેલો. સોળમી સદીમાં એક આરબ વિજ્ઞાાનીએ હિંદ મહાસાગરનાં કેટલાક ટાપુઓ પર ચોમાસુ ક્યારે ક્યારે બેસે તેનું વિગતવાર વર્ણન કરેલું પુસ્તક લખેલું. * વરસાદ માપવા માટેના સાધનની શોધ બે હજાર વર્ષ પહેલા  ભારતમાં થઈ હતી. તે સાધન ૧૮ ઇંચ વ્યાસના બાઉલના આકારનું હતું. આજે વરસાદ માપવા માટે ૨૦ ઇંચ ઊંચાઈનો આઠ ઇંચ વ્યાસનો નળાકાર વપરાય છે. * પવનની દિશા માપવા માટે કેટલાક મકાનો પર ચક્રાકાર ફરતા વેધરવેન હોય છે. તેમાં વચ્ચે કૂકડો બેસાડેલી હોય છે. ઇસુ ખ્રિસ્તના વફાદાર શિષ્ય પિટરે દગો કર્યો ત્યારે કૂકડાએ ત્રણ વખત બાંગ પોકારી ચેતવણી આપેલી તેવી કથા પ્રચલિત છે. ત્યારથી કૂકડો ચેતવણીનું પ્રતીક બન્યો છે. * પૃથ્વીના હવામાન પર અસર કરતું 'અલ-નિનો' જાણીતું પરિબળ છે. તે ડિસેમ્બરમાં સર્જાતું હોવાથી તેને અલ-નિનો એટલેકે ખ્રિસ્તનું બાળક કહે છે. પૃથ્વી પર વર્ષે સરેરાશ ૩૨ ઇંચ વરસાદ પડે છે. સૌથી વધુ આસામના ચેરાપૂંજીમાં ૪૬૭ ઇંચ અને સૌથી ઓછો ચીલીના એટાકામામાં ૦.૦૩ વરસાદ પડે છે.

Featured post

પિતા ના આશીર્વાદ

Believe it or Not ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમ...

Most Likes