એક બૌધ્ધ સંન્યાસીએ એક ભૂખ્યા ભિખારીને દયાધર્મનો ઉપદેશ આપવા માંડયો. પણ એ ભૂખ્યા ભિખારીએ એની વાત પર જરાય ધ્યાન ના આપ્યું. એટલે બૌધ્ધભિક્ષુ નારાજ થઈ ભગવાન બુધ્ધ પાસે ગયો, અભિવાદન કરી કહ્યું ; ભગવન્, આ ગરીબ ભૂખ્યા ભિખારીને ઉપદેશ આપું છું, પણ તે ધ્યાન નથી આપતો. ભગવાન બુધ્ધે હસીને કહ્યું,'ભાઈ, એને અન્નની જરૃર છે. પહેલાં એને ભોજન આપ, પછી ઉપદેશ.' પેલો સંન્યાસી એને ભોજનગૃહમાં લઈ ગયો, અને જમવાનું પીરસ્યું. પછી એ સંન્યાસી પાછો આવી બુધ્ધને પૂછે છે; 'ભગવાન એને જમવા બેસાડયો છે. પણ આપે આમ કેમ કર્યું, મને સમજાયું નહીં.' ભગવાન તથાગત શાંતભાવે બોલ્યા, 'ભાઈ, ભૂખ્યાને ભોજનની જરૃર હોય છે, ઉપદેશની નહીં, એને અન્ન મળશે, એની પેટની આગ શાંત થશે તો એ જરૃર તારી વાત, તારો ઉપદેશ સાંભળશે. અને એનું ધ્યાન પણ તારી વાતમાં હશે, તો જ એ ઉપદેશની અસર એના જીવનમાં ઉતરશે.' માટે ઉપદેશ પછી પહેલાં ભૂખ્યાને અન્નની જરૃર છે. સંન્યાસી આજે ભગવાન પાસેથી સાચો ઉપદેશ પામ્યો હતો.
Featured post
પિતા ના આશીર્વાદ
Believe it or Not ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમ...
Most Likes
-
અહેવાલ બોરુ પ્રાથમિક શાળા તા. કાલોલ જી.પંચમહાલ તા.3/2/2018ના રોજ અમારી “બોરું પ્રાથમિક શાળા”માથી પ્રવાસનું આયોજન કરવામાં આવ્ય...
-
ખુબજ મજાની વાત છે! અને છતાંયે છે કંપાવી મૂકે તેવી! એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે, “ડોક્ટર તેના બાળકને ડોક્ટર બન...
-
શાળામાં તા. ૨૫-૦૮-૨૦૧૮ ના રોજ રક્ષાબંધના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો દ્વારા તહેવારના...