દરિયા અને જળાશયોનાં પાણીની વરાળ આકાશમાં જાય, વાદળો બંધાય અને તે ઠંડા પડે ત્યારે વરસાદ થાય. આ જાણીતી વાત છે. પવનને કારણે આકાશમાં ઘૂમતા વાદળો ક્યાં જાય અને કયાં વરસે તે આપણા હાથની વાત નથી. તેની આગાહી થઈ શકે પણ વરસાવી શકાય નહીં. પરિણામે કયાંક ખૂબ જ વરસાદ પડે અને ક્યાંક ન પણ પડે. વરસાદની અછત હોય ત્યારે વિજ્ઞાાનીઓએ કૃત્રિમ વરસાદ લાવવાની પધ્ધતિ શોધી છે. કૃત્રિમ વરસાદ લાવવા માટે આકાશમાં વાદળ હોવા જરૃરી છે. હેલિકોપ્ટર કે વિમાન દ્વારા વાદળો સુધી પહોંચી કેટલાક રસાયણો છાંટી વાદળને ઠંડા કરી વરસાવી શકાય છે. આ રીતને કલાઉડ સિડિંગ કહે છે. તે માટે વાદળમાં સીલ્વર આયોડાઈડ છાંટવામાં આવે છે. સીલ્વર આયોડાઈટ છીણેલા બરફ જેવા ભૂકા સ્વરૃપે હોય છે. કૃત્રિમ વરસાદ વરસાવવા માટે ઘટ્ટ વાદળોને પસંદ કરાય છે. જમીન પરથી સિલ્વર આયોડાઈડ રોકેટમાં ભરી વાદળ તરફ છોડી શકાય છે. જો કે આ રીતમાં હમેશાં સફળતા મળતી નથી અને વરસાદનું પ્રમાણ પણ ઓછું હોય છે .
Featured post
પિતા ના આશીર્વાદ
Believe it or Not ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમ...
Most Likes
-
અહેવાલ બોરુ પ્રાથમિક શાળા તા. કાલોલ જી.પંચમહાલ તા.3/2/2018ના રોજ અમારી “બોરું પ્રાથમિક શાળા”માથી પ્રવાસનું આયોજન કરવામાં આવ્ય...
-
ખુબજ મજાની વાત છે! અને છતાંયે છે કંપાવી મૂકે તેવી! એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે, “ડોક્ટર તેના બાળકને ડોક્ટર બન...
-
શાળામાં તા. ૨૫-૦૮-૨૦૧૮ ના રોજ રક્ષાબંધના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો દ્વારા તહેવારના...