કર્તવ્ય પાલન

ઇ.સ.૧૯૦૪ની આ ઘટના છે. એક દિવસ રાત પડવા આવી હતી. અમેરિકાના એક ટાપુની દીવાદાંડીનો રખેવાળ રાત થવા છતાં ઘેર ન આવતાં, એની પત્ની ચિંતા કરતી હતી. એ પતિને શોધવા નીકળી. આગળ જતાં જોયું કે, એક ખડક પર અચાનક મૃત્યુ પામેલા તેના પતિનું શબ પડેલું હતું. તેને ભારે આઘાત લાગ્યો, પણ સામે જોયું તો દીવાદાંડી પર દીવો કરવાનું બાકી હતું. એ સ્ત્રીએ ખુબ ધીરજ રાખી, પતિનો મૃતદેહ દીવાદાંડીની ઓરડીમાં મૂક્યો, અને પોતે દીવાદાંડી પર ચઢી. એનો દીવો કર્યો. પણ હવે તેના કાચ ફરતા રાખવાનો સંચો ચાલુ કરતાં ન આવડયો. એટલે તેણે આખીરાત ત્યાં જ ઊભા રહી, હાથથી દીવાના કાચ ફેરવ્યા કર્યા, જેથી કોઈ વહાણ ખડક સાથે ટકરાય નહીં. એ સ્ત્રીના હૃદયમાં પતિના મૃત્યુનું ભારે દુ:ખ હતું, છતાં પતિવતી પોતે ફરજ બજાવી. જો એમ કર્યું ન હોત તો કેટલાંય વહાણો જોખમમાં આવી પડત. આમ કર્તવ્ય પાલનના સંતોષથી તેનું દુ:ખ ઓછું થયું.

Featured post

પિતા ના આશીર્વાદ

Believe it or Not ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમ...

Most Likes