૧૫ મી ઓગષ્ટ ૨૦૧૮ના સ્વતંત્રતાદિનની ઉજવણી

        ૧૫ મી ઓગષ્ટ ૨૦૧૮ના સ્વતંત્રતાદિનની ઉજવણી શાળાના પ્રાગણમાં  ધોરણ ૮ માં વાર્ષિક પરીક્ષા ૨૦૧૭ મા પ્રથમ આવેલ કન્યા કુ. તૃપ્તિબેન સતીષ્ભાઇ પરમારના હસ્તે  રાખવામાં આવેલ હતું પર્વની ઉજવણી નિમિતે  વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તથા પંચાયત સભ્યશ્રીઓ  તથા કર્મચારીઓ તથા વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા. ધ્વજવંદન પછી આચાર્યશ્રી ગૌરાંગ જોષીએ પ્રાસંગિક ઉદબોધનમાં  વિદ્યાર્થીઓને સંબોધીત કરતાં જણાવ્યુ હતું કે આજનો દિવસ આપણા દેશ માટે સોનેરી દિવસ તરીકે ઉજવાય છે, કેમ કે આજનો દિવસ એટલે કે ૧૫ મી ઓગસ્ટ – આપણો સ્વાતંત્ર્ય દિવસ.અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામી માંથી આપને આઝાદ થયા તે દિવસ તો આપના ઇતિહાસનું સોનેરી પાનું બની ગયો છે.
અત્યારે આપણે આઝાદીના અર્થને સમજીએ છીએ ખરા ? ના …કારણ કે આપણે જન્મ્યા ત્યારથી જ આઝાદીનો શ્વાસ લઇએ છીએ અને એવું કહેવાય છે કે જે વસ્તુ આપણને મફતમાં અથવા સહેલાઈથી મળે તેની આપણા મનમાં કઈ જ કિંમત હોતી નથી.
 અરે! આઝાદી કોને કહેવાય તે પ્રશ્ન આપણા શહીદોને પૂછો, એ સમયના આપણા સ્વાતંત્ર્ય વીરો ને પૂછો, લોહી રેડીને જેમને સામી છાતીએ ગોળીઓના વરસાદને ઝીલ્યો છે એવા લોકોને પૂછો તો તેનું મહત્વ સમજી શકાય …!! આપણા પૂર્વજોએ જે શહીદી વહોરીને આપણને આ અમુલ્ય ભેટ આપી છે તેને સાચવવાની જવાબદારી મારી , તમારી અને આપણા સહુની છે .
મિત્રો !! દેશભક્તિ આપણા હૃદયમાં હોવી જોઈએ માત્ર વાતો કરવાથી કઈ નહિ વળે !  દેશભક્તિને હૃદયમાં ઉતારી આપણે પણ દેશપ્રેમનો પાઠ શીખીએ અને આપણા બાળકોને પણ તેનું મહત્વ સમજાવીએ. 
વંદે માતરમ
ભારતમાતા કી જય








Featured post

પિતા ના આશીર્વાદ

Believe it or Not ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમ...

Most Likes