૧૫ મી ઓગષ્ટ ૨૦૧૮ના સ્વતંત્રતાદિનની ઉજવણી શાળાના પ્રાગણમાં ધોરણ ૮ માં વાર્ષિક પરીક્ષા ૨૦૧૭ મા પ્રથમ આવેલ કન્યા કુ. તૃપ્તિબેન સતીષ્ભાઇ પરમારના હસ્તે રાખવામાં આવેલ હતું પર્વની ઉજવણી નિમિતે વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તથા પંચાયત સભ્યશ્રીઓ તથા કર્મચારીઓ તથા વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા. ધ્વજવંદન પછી આચાર્યશ્રી ગૌરાંગ જોષીએ પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને સંબોધીત કરતાં જણાવ્યુ હતું કે આજનો દિવસ આપણા દેશ માટે સોનેરી દિવસ તરીકે ઉજવાય છે, કેમ કે આજનો દિવસ એટલે કે ૧૫ મી ઓગસ્ટ – આપણો સ્વાતંત્ર્ય દિવસ.અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામી માંથી આપને આઝાદ થયા તે દિવસ તો આપના ઇતિહાસનું સોનેરી પાનું બની ગયો છે.
અત્યારે આપણે આઝાદીના અર્થને સમજીએ છીએ ખરા ? ના …કારણ કે આપણે જન્મ્યા ત્યારથી જ આઝાદીનો શ્વાસ લઇએ છીએ અને એવું કહેવાય છે કે જે વસ્તુ આપણને મફતમાં અથવા સહેલાઈથી મળે તેની આપણા મનમાં કઈ જ કિંમત હોતી નથી.

મિત્રો !! દેશભક્તિ આપણા હૃદયમાં હોવી જોઈએ માત્ર વાતો કરવાથી કઈ નહિ વળે ! દેશભક્તિને હૃદયમાં ઉતારી આપણે પણ દેશપ્રેમનો પાઠ શીખીએ અને આપણા બાળકોને પણ તેનું મહત્વ સમજાવીએ.
વંદે માતરમ
ભારતમાતા કી જય