૧૪, સપ્ટેમ્બર ર૦૧૬ રાષ્ટ્રીય કૃમિ મુક્તિદિવસે બોરૂ પ્રાથમિક શાળાના માધ્યમથી કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલ ગોળી) આપવાની કામગીરી ઝુંબેશના રૂપે હાથ ધરવામાં આવી.આ પ્રસંગે મુખ્ય શિક્ષકશ્રી ગૌરાંગ જોષીએ જણાવ્યું કે કૃમિને કારણે લોહીમાં વિકાર થઈ શકે છે, આ વિકારને કારણે અનેક રોગો થઈ શકે છે.બાળકોમાં કૃમિનાશક દવાના સીધા ફાયદા જેવા કે લોહીની ઉણપમાં સુધારો, પોષણ સ્તરમાં સુધારો તથા ભવિષ્યના ફાયદા, જેવા કે સ્કૂલમાં હાજરી અને ગ્રહણશક્તિ સુધારવામાં મદદરૃપ, ભવિષ્યમાં કાર્યક્ષમતામાં અને જીવનદરમાં વૃદ્ધિ તેમજ વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જનસમુદાયને લાભ મળશે
કૃમિ નિયંત્રણની દવા ખાવાની સાથે સાથે કૃમિના ચેપથી બચવાના ઉપાયો પણ ખૂબ જ જરૃરી છે. જેવા કે નખ સાફ અને નાના રાખવા, હંમેશાં સ્વચ્છ પાણી પીવું, ખોરાક ઢાંકીને રાખવો, સાફ પાણીથી ફળો-શાકભાજી ધોવા, ઘરની આજુબાજુ સ્વચ્છ રાખવું, પગરખા પહેરવા, ખુલ્લામાં સંડાસ ન જવું, હંમેશાં શૌચાલયનો જ ઉપયોગ કરવો, હાથ સાબૂથી ધોવા, ખાસ કરીને જમ્યા પહેલા અને શૌચ પછી.
કૃમિ નિયંત્રણની દવા તમામ બાળકોને આપવી જરૃરી છે. જ્યારે અમુક બાળકો બીમાર નથી લાગતા તેમને પણ આપવી જરૃરી છે. કૃમિના સંક્રમણ ચક્રના ઉપાય માટે દરેક બાળકને દવા આપવી આવશ્યક છે. બની શકે તો તમારા બાળકોમાં કૃમિનો પ્રભાવ તુરંત જોવા ન મળે, પરંતુ તે બાળકો સ્વાસ્થ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર લાંબા સમય સુધી નુક્સાન પહોંચાડી શકે છે. કૃમિ નિયંત્રણની દવાથી બાળકોના સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસમાં મદદ કરે છે તથા ગોળી હંમેશાં ચાવીને ખાવી, પીવાનું પાણી સાથે રાખો.આ પ્રસંગે ઊપસ્થિત આરોગ્ય સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ વર્કર,આશા વર્કર ની દેખરેખ નીચે દરેક બાળકને આલ્બેન્ડાઝોલ ગોળી આપવામાં આવી.
https://m.facebook.com/story.php?story_fbid=1289164664545557&id=1069775446484481